Thu Dec 18 2025

Logo

White Logo

ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાથી ખેડૂતોને લાખોનું નુકસાન: : ફૂલોની નિકાસ અટકી

6 days ago
Author: Mumbai Samachar Team
Video

મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડિગોની ફ્લાઇટ સેવાઓ ખોરવાઈ ગઈ છે. ૬૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે સામાન્ય મુસાફરોને હાંલાકી ભોગવવી પડી રહી છે, સાથે ખેડૂતોને તેની અસર થઈ છે. ઇન્ડિગોના આ અસ્તવ્યસ્ત સંચાલનને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

હાલમાં લગ્નની મોસમ ચાલી રહી છે, જેમાં ફૂલોની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માંગ રહે છે. ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ થઈ રહી હોવાથી માવળ વિસ્તારના ફૂલોના ખેડૂતોના વ્યવસાય પર સીધી અને ગંભીર અસર પડી છે. માવળ તાલુકામાંથી દરરોજ લગભગ ૫૦,૦૦૦ ગુલાબની હવાઈ માર્ગે નિકાસ થાય છે. 

સામાન્ય રીતે, એક ગુલાબની સરેરાશ કિંમત ૨૦ રૂપિયા છે અને પ્રતિ દિવસ ૧૦ લાખ રૂપિયા થાય છે. ઇન્ડિગોની ફ્લાઇટ સેવાઓમાં વિક્ષેપને કારણે, ગુલાબની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય નિકાસના ઓર્ડર રદ કરવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. 

પાંડુરંગ શિંદે નામના ખેડૂતે જણાવ્યું હતું કે તેમનો આઠ ટન ગુલાબનું ફાર્મ છે અને દરરોજ લગભગ આઠ હજાર ફૂલો મળે છે. તેઓ ઇન્ડિગો દ્વારા વિદેશમાં બે હજાર ફૂલો મોકલી રહ્યા હતા, પરંતુ સેવા બંધ થવાના કારણે વિદેશી એરપોર્ટ પર તેમના ઘણા ઓર્ડર રદ કરવામાં આવ્યા છે.

અન્ય ખેડૂત મંગેશ ખન્નાએ જણાવ્યું હતું કે તેઓ દરરોજ દિલ્હી, વારાણસી, લખનૌ, ગુવાહાટીમાં એક થી દોઢ લાખ ફૂલોની નિકાસ કરે છે. ફ્લાઇટ્સ રદ થવાથી, ઘણા માલનું નુકસાન થયું છે. આ નુકસાનની ભરપાઈ કોણ કરશે? એવો પ્રશ્ન ખેડૂતોએ સરકારને પૂછ્યો હતો.